મોરબીના જલારામ મંદિરમાં વીર દાદા જશરાજ શૌર્ય દીન નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું

- text


મોરબી : મોરબીના વીર દાદા જશરાજ સેના દ્વારા લગ્ન મંડપની માળા તોડી ગૌરક્ષા, ધર્મ રક્ષા કાજે મુઘલો સામે જંગે ચડેલા વીર દાદા જશરાજના ૯૬૨મા શૌર્ય દીન નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે વીર દાદા જશરાજ સેના દ્વારા શસ્ત્ર પૂજન તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગીરીશભાઈ ઘેલાણી, રાજુભાઈ ગીરનારી, વિશાલ ગણાત્રા, નિર્મિત કક્કડ, ચિરાગ વોરા, મનિષ પટેલ, પોલાભાઈ પટેલ, જગદીશભાઈ કોટક, બદ્રીપ્રસાદ અગ્રાવત, ભારતીબેન ચતવાણી, ભારતીબેન રાચ્છ, ચંદ્રીકાબેન માનસેતા, અરૂણાબેન કોટક, ઉષાબેન હીરાણી, મીનાબેન ચંડીભમર, નીતાબેન પોપટ સહીતના સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બહોળી સંખ્યામા લોકોએ ઉપસ્થિત રહી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

- text