મોરબી સતવારા મંડળ દ્વારા યુવા મેળો યોજાયો

- text


મોરબી : મોરબી સતવારા મંડળ દ્વારા આયોજિત 18મો યુવા મેળો મોરબી મુકામે લોક સેવક અને પૂર્વ ધારાસભ્ય, સતવારા જ્ઞાતિના મોભી ગોકળદાસ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો.

આ યુવા મેળામાં કુલ 113 યુવકો તથા 56 યુવતીઓએ ભાગ લીધો હતો. આ અવસરે યુવક-યુવતીઓનો પરિચય ડો. એલ. એમ. કંઝારિયા અને એડ. એ. પી. કંઝારિયાએ આપેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એ. પી. કંઝારિયાએ કરેલ હતું.

આ પ્રસંગે બોટાદના ડો. જીગ્નેશ હડીયલ, અમદાવાદના ડો. જયંતભાઈ ચૌહાણ, જામનગરના ડો. પોપલીયાનું આરોગ્ય ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવવા બદલ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું. તેમજ સમસ્ત સતવારા મહામંડળના સંગઠન મંત્રી વાલજીભાઇ જાદવ અને આગેવાનો દ્વારા મોરબી સતવારા મંડળના હોદેદારો રામચંદ્રભાઈ પરમાર, લખમણભાઇ કંઝારિયા, રમણીકભાઇ પરમાર, અરવિંદભાઈ કંઝારિયા અને ભુદરભાઈ જાદવનું આ તકે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.

- text

આ યુવા મેળાને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ રામચંદ્રભાઈ પરમાર, મોરબી સતવારા નવાગામ જ્ઞાતિના પ્રમુખ અને મંડળના મંત્રી લખમણભાઇ કંઝારિયા, ઉપપ્રમુખ રમણીકભાઇ પરમાર, સહમંત્રી ભુદરભાઈ જાદવ અને ખજાનચી અરવિંદભાઈ કંઝારિયા તેમજ જુદી-જુદી કમિટીઓના સભ્યોએ જહેમત ઉઠાવેલ હતી. આ યુવા મેળામાં રાજકોટથી મોહનભાઇ સોનગરા, અશોકભાઈ કંઝારિયા, વિનોદભાઈ રાઠોડ, વિજયભાઈ ખાદલા, રસિકભાઈ ખાણદર, જામનગરથી માવજીભાઈ નકુમ, જમનભાઈ સોનગરા, સુનિલભાઈ રાઠોડ, શાંતિભાઈ ચાવાળા, થાનથી વાલજીભાઇ જાદવ, બોટાદથી ડો. જીગ્નેશ હડીયલ, બરવાલા (ઘેલાશા)થી પ્રવીણભાઇ કંઝારિયા, ચોટીલાથી અશોકભાઈ કંઝારિયા, સાયલાથી ગંગારામભાઈ અને તેમની ટીમ તેમજ મોરબીના સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઇ હડીયલ, સતવારા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રઘુભાઇ કંઝારિયા, સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર, સતવારા એન્જીનીયર એસોસિએશનના પ્રમુખ એલ. ડી. હડીયલ, સતવારા મહિલા પ્રગતિ મંડળના પ્રમુખ સુશીલાબેન પરમાર સહિતના અગ્રણીઓએ આ પ્રસંગે હાજર રહીને કાર્યક્રમ દીપાવેલ હતો.

- text