મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર.હાઈસ્કૂલના આચાર્યનો 31મીએ વિદાય સમારોહ

- text


મોરબી : મોરબીના વિદ્યોતેજક મંડળ સંચાલિત દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલના પ્રધાનાચાર્ય ડો. અનિલભાઈ મહેતા આગામી તા. 31 ડીસેમ્બર મંગળવારના રોજ શાળામાં ફરજના ૩૬ વર્ષ પૂરા કરી વયમર્યાદાને કારણે નિવૃત્ત થઇ રહ્યા છે. ત્યારે ડો. અનિલભાઈ મહેતાએ પ્રમાણિકતાથી કરેલ સેવાઓ બદલ તેઓનો નિવૃત્તિ સન્માન સમારોહ આગામી તા. 29 ડિસેમ્બર રવિવારે સાંજે 5 કલાકે દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલ, મહાવીર નગર, મોરબી બાયપાસ ચોકડી પાસે, મોરબી ખાતે રાખવામાં આવેલ છે. જેમાં પ્રમુખ તરીકે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મુખ્ય મહેમાન તરીકે કચ્છ-મોરબીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ વિનોદભાઈ ચાવડા, લોકસેવક કાંતિભાઇ અમૃતિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહેશે. આ તકે શાળા પરિવાર દ્વારા ડો. અનિલભાઈ મહેતાનું સન્માન કરી વિદાય આપવામાં આવશે.

- text