- text
મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક સીરામીક યુનિટમાં માટી ખાતામાં પાણીના ખાડામાં પડી જવાથી એક મજૂર યુવાનનું મોત થયેલ છે.
- text
મોરબીના રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપની પાછળ આવેલ વેલક્ષ સિરામિક યુનિટમાં ગઈ કાલે માટી ખાતામાં કામ દરમિયાન પાણી ભરેલા ખાડામાં પડી જવાથી નરસંગભાઇ ઘુઘાભાઈ ભીલ (ઉં.વ ૨૦) નામના આદિવાસી યુવાનનું મેાત થયું હતું. તાલુકા પોલીસે બનાવની નોંધ લઈ મૃતદેહને પીએમ અર્થે અહીંની સિવિલે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ સત્તાવાળાઓએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.વ્યાસે પહોંચીને આગળની તપાસ શરૂ કરી છે.
- text