માલધારી દિવસ નિમિત્તે મોરબીમાં ગુજરાત માલધારી સેના દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : ગત તા. 26 નવેમ્બર વિશ્વ માલધારી દિવસ નિમિત્તે મોરબીમાં ગુજરાત માલધારી સેના આઈ.ટી. સેલ ટીમ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ નવઘણભાઈ વકાતર તથા મોરબી જિલ્લાથી વિનોદ બાંભવા મનોજ રબારી મુકેશ ભરવાડ અલ્પેશ રબારી તથા મોરબી આઈ. ટી. સેલ ટીમ દ્વારા રક્ત દાન કરી માલધારી દિવસની ઉજવણી કરી હતી. જેમાં ભરવાડ રબારીના યુવાનો જોડાયા હતા. સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી સાથે મળીને રક્તદાન કેમ્પ યોજાયો હતો અને સમાજ માટે જાગૃત યુવાનો તરીકે એક પ્રેરણાદાયી કામ કર્યું હતું.

- text