મોરબીના સીરામીક ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાના સંકલ્પ લીધા

- text


મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગકારોએ જૂના ઘુંટૂ રોડ પર વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતન કરવાના સંકલ્પ લીધા હતા.

- text

મોરબીના જૂના ઘુંટૂ રોડ પર સગુન સિરામીકની બાજુમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગત તારીખ 25/11/2019ને સોમવારે સાંજે 5:00 વાગ્યે રાખેલ હતો. જેમા મોરબી જીલ્લા કલેકટર જે. બી. પટેલ તેમજ એસ.પી. કરનરાજ વાઘેલાના વરદહસ્તે વૃક્ષારોપણ કરેલ હતુ. આ પ્રસંગે અધિક કલેક્ટર કેતન જોશી, ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ, એશોસીએસનના પ્રમુખ નિલેષ જેતપરીયા તેમજ મોરબીના ઘુટુ રોડ ઉપરના ઉધોગકારો તેમજ ઘુંટુ ગામ પંચાયતના હોદ્દેદારો સહિતના અધિકારીઓએ હાજરી આપેલ હતી. આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સૌએ પર્યાવરણ જતન કરવાના તથા મોરબીને હરિયાળીથી હર્યુંભર્યું રાખવાના સંકલ્પ લીધા હતા.

- text