મોરબીમાં ઓમ લેમકોટ કંપની દ્વારા પ્રતિમા અનાવરણ ઉત્સવ યોજાશે

- text


મોરબી : મોરબીમાં ઓમ લેમકોટ પ્રા. લી. તથા આત્મજ્યોત કેમ. પ્રા. લી.ના સંયુક્ત ઉપક્રમે રાજકોટિયા પરિવાર દ્વારા આગામી તા. 25/10/2019ના રોજ ભગવાન, ભક્તો, મહાપુરુષો તથા ક્રાંતિકારીઓની પ્રતિમાના અનાવરણ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના અંતર્ગત બપોરે 2 વાગ્યાથી સત્યનારાયણની કથા, ચોપડા-પૂજન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ઓમ લેમકોટ પ્રા. લી., દાદાશ્રી નગર, કંડલા હાઇવે, સર્વોદય હોટલ સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યા છે.

આ સમારોહમાં મોરબીના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલા અને કર્મઠ આગેવાનોના હશે પ્રતિમા અનાવરણ કરવામાં આવશે.

- text


 

- text