હળવદના ઈશ્વરનગર ગામે ચાલતા જુગાર ઉપર દરોડો : પાંચેય જુગારીઓ નાશી છૂટ્યા

- text


પોલીસે રૂ. 17 હજારની રોકડ મળી કુલ રૂ. 30 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

હળવદ : હળવદના ઇશ્વરનગર ગામે ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. પરંતુ પોલીસને જોઈને પાંચ શખ્સો નાશી છૂટ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.આ મામલે હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામે રામજી મંદિરવાળી શેરીમાં ચાલી રહેલા જુગારધામ ઉપર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. જેથી જુગાર રમતા પાંચ શખ્સો પોલીસને જોઈને રોકડ રકમ અને પત્તા મૂકીને નાશી છૂટ્યા હતા. જેથી પોલીસે રૂ. 17,610ની રોકડ મળી કુલ રૂ. 30,110નો મુદ્દામાલ જપ્ત કરી અશ્વિનભાઈ ભીમજીભાઈ ભીમાણી અને અન્ય ચાર અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરી તેમને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.

- text


 

- text