ટંકારાના હીરાપર ગામે 98 વર્ષના વૃદ્ધાનું તળાવમાં ડૂબી જવાથી મોત

- text


ટંકારા : ટંકારાના હીરાપર ગામે 98 વર્ષના વૃદ્ધાનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવથી વૃદ્ધાના પરિવારમાં શોક છવાઈ ગયો છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતા પુરૂબેન ખીમજીભાઈ સારેસા ઉ.વ. 98 તેમના ગામના પાદરમા કુદરતી હાજતે ગયા હતા. જ્યાં તેઓ તળાવમાં પાણી ભરવા જતા પગ લપસી ગયો હતો. જેથી તેઓ તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text