ટંકારા સિવિલ કોર્ટની લોક અદાલતમા બેંક અને પીજીવીસીએલને રૂ. 4.43 લાખની રિકવરી

- text


101માંથી 23 કેસોમાં બન્ને પક્ષને રાહત થાય તેવી રીતે ચુકાદો આપીને સમાધાન કરાવાયું

ટંકારા : ટંકારામાં સિવિલ કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 101 કેસો રજૂ થયા હતા. જેમાં બેંક અને PGVCLના કુલ ૨૩ કેસો વચ્ચે સમાધાનથી 4,43,738 રૂપિયાની રિકવરી થઈ હતી.

- text

ટંકારા સિવિલ કોર્ટ ખાતે મહિલા જજ બી. જી. રાઠોડની અધ્યક્ષતામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાધાન વલણ માટે તૈયાર ૧૦૧ કેસ રજુ થતા આરોપી અને ફરિયાદી બંનેને રાહત થાય એવી રીતે ચુકાદાઓ આપવામાં આવ્યા હતા. બેંક રિકવરીના 8 કેસમાં રૂ. 64,000ની રીકવરી માટે સમાધાન થયું હતું. જ્યારે પીજીવીસીએલના 15 કેસોમાં 3,79,738 જેટલી મોટી રકમ રિકવરી કરી આપી હતી.

આ માટે કોર્ટના રજીસ્ટાર અશ્વિનભાઈ જાની, લિગલ ક્લાર્ક મહેતાભાઈ અને વિપુલભાઈ, એડવોકેટ અમિત જાની, બારૈયા ભાઈ, રાહુલ ભાઈ, નીમાવત ભાઈએ મદદ કરી હતી.

- text