મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું શિક્ષક દિને વિશેષ સન્માન કરાશે

- text


મોરબી : ભારતના મહાન શિક્ષણવિદ્દ ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત મોરબી જિલ્લાનો શિક્ષક દિનનો સમારોહ આગામી ૫મી સપ્ટેમ્બરના રોજ મોરબી ટાઉનહોલ ખાતે યોજાશે. જેમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવશે. 

જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મોરબી ટાઉનહોલ ખાતે આગામી ૫મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યે આયોજિત સમારંભમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરી સન્માનવામાં આવશે.આ પ્રસંગે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રભાઇ સોલંકી વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે.

- text

આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા, રાજકોટ વિસ્તારના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, ધારાસભ્યો બ્રિજેશભાઇ મેરજા, લલીતભાઇ કગથરા, પરસોતમભાઇ સાબરીયા, મહંમદ જાવિદ પીરઝાદા તથા મોરબી નગરપાલિકાના પ્રમુખ કેતનભાઇ વિલપરા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા તથા જિલ્લા પોલીસ અધિકક્ષ ડો. કરણરાજ વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ. પારેખની યાદીમાં જણાવાયું છે.

- text