મોરબી સહિતના સેન્ટરોમાં જૂનાગઢની જેમ સૈનિકના પરિવારજનો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવાની માંગ

- text


મોરબીના પ્રતાપસિંહ ઝાલા દ્વારા જૂનાગઢ કમિશનર દ્વારા લેવાયેલા નિર્ણયને આવકારી તેનો સમગ રાજયમાં અમલ કરવાની માંગણી કરી

મોરબી : મોરબીના પ્રતાપસિંહ આર. ઝાલા દ્વારા મોરબી સહિતના સેન્ટરોમાં જૂનાગઢની જેમ સૈનિકના પરિવારજનો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવાની માંગ સાથે જૂનાગઢ કમિશનર દ્વારા લેવાયેલા નિર્ણયને આવકાર્યો છે.  

- text

જૂનાગઢમાં મ. ન. પા. કચેરી દ્વારા કારગીલ વિજય દિનને 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શહીદ જવાનો અને હાલમાં ફરજ બજાવી રહેલા સૈનિકોના પરિવારને કોઈ કામગીરી અર્થે ધક્કા ખાવા ન પડે તથા કાર્ય એક જ બારીએથી પૂર્ણ થઈ જાય તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરેલ છે. આ સુવિધા ઉપલબ્ધ કરવા બદલ પ્રતાપસિંહ ઝાલાએ જૂનાગઢ મ. ન. પા.ના કમિશનરને ધન્યવાદ પાઠવ્યા હતા. આ ઉપરાંત, પ્રતાપસિંહ ઝાલા દ્વારા જૂનાગઢ કમિશનર દ્વારા લેવાયેલા આ નિર્ણયને આવકારી તેનો મોરબી સહીત સમગ રાજયમાં અમલ કરવાની માંગણી કરી તમામ મોટી કચેરીઓના અધિકારીઓને વિનંતી કરી છે કે તેઓ પણ સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરે. જેથી, તે સૈનિકોના પરિવારને ઉપયોગી નીવડે.

- text