મોરબી : કેરમીયાગ્રેનાઈટો દ્વારા 100 વૃક્ષોનું વાવેતર કરાયું,

- text


મોરબી : મોરબીમાં હાલ વરસાદની સૌકોઈ રાહ જોઈ રહ્યા છે સાથે સાથે મોરબી સીરામીક કંપનીઓ દ્વારા વૃક્ષારોપણની ખૂબ જ મોટા પ્રમાણમાં ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે ત્યારે ગાળાની બાજુમાં ગૂંગણ રોડ પર આવેલા કેરમીયા ગ્રેનાઈટો દ્વારા 100 વૃક્ષોનું વાવેતર કરી કંપનીના કર્મચારીઓ દ્વારા આ તમામ વૃક્ષો ઉછેરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેરમીયા ગ્રેનાઈટોના ડાયરેક્ટર જયેશભાઇ પાડલીયા તથા અન્ય કર્મચારીઓ જોડાયા હતા. વધુમાં જયેશભાઇ પાડલીયાએ જણાવ્યું કે મોરબીની દરેક કંપની દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે તો ઘણા અંશે પ્રદુષણ રોકી શકીએ અને મોરબીને ગ્રીન સીટી બનાવી શકીએ.

- text

- text