મોરબી : સિમલા ફરવા ગયા બાદ પત્નીને તું ગમતી નથી તેમ કહીને પતિએ મારકુટ કરી

- text


મોરબી : મોરબીમાં રહેતી પરણીતાને પતિ સહિતના સાસરીયાઓએ કરિયાવર બાબતે શારીરિક મનદુઃખ ફુખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રાજસ્થાનની વત્તની અને હાલ મોરબીના સામાકાંઠે આવેલ નઝરબાગ પાસેની પરશુરામ સોસાયટીના સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતી ચારુબેન રોહિતભાઈ ચોપરા ઉ.વ.24 નામની પરણીતાએ તેના પતિ રોહિતભાઈ રાજેશભાઇ ચોપરા,તથા સાસરીયા સુલેખાબેન રાજેશભાઇ ચોપરા, રાજેશભાઇ રાયચંદજી ચોપરા, રાયચંદજી ચોપરા અને ગુલાબદેવી રાયચંદજી ચોપરા સામે મોરબીના મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેણી અગાઉ પતિ સાથે સિમલા ફરવા ગઈ હતી.ત્યારે પતિએ તું ગમતી નથી મારા માતાપિતાનાના આગ્રહને કારણે તારી સાથે લગ્ન કરવા પડયાનું કહીને મારકુંટ કરી હતી.બાદમાં સાસરિયાઓએ કરિયાવર ઓછો લાવ્યાનુ કહીને શારીરિક માનસિક ત્રાસ આપ્યાની પરણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text