મોરબી : કર્તવ્ય જીવદયા કેન્દ્ર નજીવા દરે પાંજરા સહિત વૃક્ષ ઘરબેઠા વાવી જશે

- text


મોરબી : યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં કોઈ પણ જગ્યાએ સંસ્થાના ભાઈઓ બહેનો આપની જગ્યામાં રાહત દરે પાંજરા સહિતનું વૃક્ષ વાવી જશે. આ પ્રોજેકટ અંતર્ગત મોરબીનો કોઈ પણ નાગરિક ઘર આંગણે વૃક્ષ વાવવા માંગતું હોય તે માત્ર એક ફોન કરે કે તરત જ સંસ્થા દ્વારા પાંજરા સહિત આપના આંગણે વૃક્ષ વાવવા પહોંચી જશે. આ માટે પાંજરા સહિત વૃક્ષ માટે માત્ર 500 રૂપિયાનો ચાર્જ રાખવામાં આવ્યો છે. ઘર આંગણે વૃક્ષ વાવવમાં માટે મોબાઈલ નંબર 7574885747 અને 7574868886 પર સંપર્ક સાધવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text