- text
મોરબી : મોરબીમાં પરિણીતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા પતિ સહિતના ૭ સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં સરદારનગરમાં રામકો બંગલોની સામે પુસ્કર એપાર્ટમેન્ટવાળી લાઈનમાં રહેતા મીનાબેન મનોજભાઈ રાંકજા ઉ.વ. ૪૪એ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પતિ મનોજભાઇ રતનશીભાઈ રાંકજા તેમજ શાંતાબેન રતનશીભાઈ રાંકજા, રતનશીભાઈ શામજીભાઈ રાંકજા, શૈલેષભાઇ રતનશીભાઈ રાંકજા, કૈલાશબેન શૈલેષભાઇ રાંકજા, રમાબેન ધીરુભાઈ બારૈયા અને ધીરુભાઈ બારૈયા દ્વારા તેઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ તેમના સાસરિયા દ્વારા મારકુટ પણ કરવામાં આવતી હતી. આ ફરિયાદના આધારે મહિલા પોલીસે સાતેય સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text