મોરબીની ધર્મલાભ સોસાયટીના દબાણ મુદ્દે પાલિકાને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ

- text


નોટિસમાં દબાણ દૂર કરવા૧૫ દિવસનો સમય અપાયો

મોરબી : હાઇકોર્ટનો હુકમ હોવા છતાં મોરબીની ધર્મલાભ સોસાયટીનું દબાણ દૂર ન કરનાર પાલિકાને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ મળી છે. જેમાં આ દબાણ દૂર કરવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

- text

સુત્રોમાંથી મળતી વિગત અનુસાર મોરબીની ધર્મલાભ સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે કરાયેલું દબાણ હટાવવા માટે મહેશકુમાર નારણભાઇ થોરીયાની અરજીના પગલે ગુજરાત હાઈકોર્ટે ગત તા. 30/01/2019ના રોજ પાલિકાને કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો. તેમ છતાં પાલિકાએ આ મામલે કોઈ કાર્યવાહી ન કરી હોવાથી હાઇકોર્ટના એડવોકેટ નિલી શાહ દ્વારા પાલિકાને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં ૧૫ દિવસમા દબાણ હટાવી દેવાનું પણ જણાવાયું છે.

- text