ટંકારા : એમ.પી.દોશી વિધાલયના ટ્રસ્ટી જયેશ હિરાલાલ દોશીનુ અવસાન

- text


ગરીબ વિદ્યાર્થીને ગામડાઓમાં નિઃશુલ્ક શિક્ષણ મળી રહે તે માટે હંમેશા તત્પર રહેતા

ટંકારા : ભવિષ્યના નાગરિક બનવા જઇ રહેલા બાળકો ઉચ્ચ શિક્ષણ ગામમા જ મેળવી શકે એવા ઉમદા હેતુથી મગનલાલ.પી. દોશીએ ટંકારમાં શાળાનો પાયો નાખ્યો હતો. એમની બીજી પેઢીના દોશી કુટુંબના જયેશભાઈ દોશીએ દાદાના સ્વપ્ન સાકાર કરવા અથાક મહેનત કરી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફતમાં ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે નોંધનીય વ્યવસ્થા ઉભી કરી હતી.

- text

એવા સેવામૂર્તિ જયેશભાઈનું તારીખ 22-3-2019ને શુક્રવારે અવસાન થયું છે. તેમની આકસ્મિક વિદાયથી સંસ્થા અને શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ટંકારા એજ્યુકેશન ટ્રસ્ટ શાળા પરીવારે આજે બે મિનિટનુ મૌન રાખી સદગતને શ્રદ્ધાંજલિ અર્પી છે.

- text