વાંકાનેર : વતનમાં જવા બાબતે યુવાન પર હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરના કોઠારીયા ગામે રહેતા યુવાન પર ત્રણ શખ્સોએ વતનમાં જવા બાબતે ઝઘડો કરીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ વાંકાનેરના કોઠારીયા ગામની સીમમાં રહેતા મનસુખભાઇ ધારશીભાઈ વાઘેલા ઉ.વ.25એ ટંકારાના હડમતિયા ગામના વેલજીભાઈ ભાણાભાઈ વાઘેલા, કનુભાઈ વેલજીભાઈ વાઘેલા અને લાલજીભાઈ વેલજીભાઈ દેવીપૂજક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે,ગત.તા.21ના રોજ ફરિયાદી યુવાન મૂળ ટંકારાના હડમતીયા ગામનો વતની હોય અને પોતાના વતન ગામે રહેંવા માંગતો હોય પરંતુ આરોપીઓએ તેને ના પાડી ગાળો બોલી લાકડી તથા પાઇપથી માર માર્યો હતો.વાંકાનેર તાલુકા પોલીસે આ યુવાનની ફરિયાદના આધારે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text