મોરબીના જલારામ મંદિરે તા.4ના રોજ વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

- text


નવીનભાઈ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી યોજાશે કેમ્પ

મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર- મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત આગામી તારીખ 4 મે ને શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન નવીનભાઈ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી વિનામુલ્યે કેમ્પનું આયોજન કરાયું છે.

- text

આ કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 9825082468, નિર્મિતભાઈ કક્કડ- 9998880588, હરીશભાઈ રાજા- 9879218415, અનિલભાઈ સોમૈયા- 8511060066 નો સંપર્ક કરવા જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 31 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 9885 લોકોએ લાભ લીધો હતો. તેમજ 4394 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા.

- text