મોરબીમાં ૯ અને ૧૦મીએ જલારામ મંદીરનો દ્વાદશમ્ પાટોત્સવ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


જલીયાણેશ્વર મહાદેવ મંદીર તથા સાંઈ બાબા મંદીરના પ્રતિષ્ઠા મહોત્સવ સાથે નવનિર્મિત રઘુવીર પ્રાર્થના હોલને ખુલ્લો મુકાશે

મોરબી : વિવિધ પ્રકાર ની માનવ સેવા પ્રદાન કરતા રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત જલારામ પ્રાર્થના મંદીરનો દ્વાદશમ્ પાટોત્સવ તેમજ નવનિર્મિત જલીયાણેશ્વર મહાદેવ મંદીર તથા સાંઈ બાબા મંદીર નો પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા.૯ અને ૧૦ના રોજ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે. આ ઉપરાંત નવનિર્મિત રઘુવીર પ્રાર્થના હોલ પણ ભક્તજનો માટે ખુલ્લો મુકવામા આવશે.

તા.૯ને શનીવારના રોજ સવારે ૮ કલાકથી મહાયજ્ઞ તેમજ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે જેમા યજમાન પદે વિજયભાઈ વનેચંદભાઈ દોશી પરિવાર તથા ચંદ્રવદનભાઈ ચીમનલાલ પુજારા પરિવાર બિરાજમાન થશે. આચાર્ય તરીકે શાસ્ત્રી હરકાંતભાઈ ખેલશંકર વ્યાસ બિરાજમાન થશે. ત્યાર બાદ બપોરે ૧૨ કલાકે ધ્વજારોહણ તેમજ અભિષેક થશે અને ૧૨:૩૦ કલાકે બીડું રોપણ તેમજ પ્રતિષ્ઠા થશે.

- text

તા.૧૦ને રવિવારના રોજ સવારે ૬ કલાકે પ્રભાતધુન, સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી ત્યાર બાદ સર્વજ્ઞાતિય ભક્તજનો માટે મહાપ્રસાદ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે જલારામ પ્રાર્થના મંદીર મોરબી દ્વારા કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વીના બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠરથ સેવા, અંતિમયાત્રા બસ, શબવાહીની સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ સાંજે પ્રસાદ, દરગુરુવારે મહાપ્રસાદ, પ્રાર્થના હોલ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓ ની સેવા, સામુહીક અસ્થિવિસર્જન સહીત ની સેવાઓ પ્રદાન કરવામા આવે છે. ત્યારે પ્રવર્તમાન વર્ષ માટે ગુરુવાર પ્રસાદ નોંધાવવા માટે નિર્મિત ભાઈ કક્કડ મો.નં. ૯૯૯૮૮૮૦૫૮૮નો સંપર્ક કરવા જણાવ્યુ છે.

કાર્યક્રમને સફળ બનાવવા રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, લોહાણા મહાજન, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, જલારામ સેવા મંડળ, જલારામ મંદીર મહીલા મંડળ, રઘુવંશી યુવક મંડળ, વીર દાદા જશરાજ સેના સહીતની સંસ્થાના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text