વાંકાનેર શરદ પૂનમે ક્ષત્રીય સમાજનું સ્નેહમિલન યોજાયું

- text


વાંકાનેર : વાંકાનેરમાં જીનપરા અને ભાટીયા સોસાયટીમાં વસતાં ક્ષત્રીય સમાજ દ્વારા દર વર્ષે સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધે એ ઉદ્દેશથી યોજાતું ક્ષત્રીય સમાજનું સ્નેહમિલન ભાટિયા સોસાયટીમાં બ્રહ્મ સમાજની વાડીમાં યોજાયું.

- text

આ પ્રસંગે વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી, વાંકાનેર ક્ષત્રિય સમાજના પ્રમુખ વજુભા સજુભા ઝાલા, ઉપ પ્રમુખ ડો. ભરતસિંહ ઝાલા, અનિરુદ્ધસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ ગોહિલ તેમજ છત્રીય સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાયું હતું.

- text