શનિ, રવિ વાંકાનેરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

- text


વાંકાનેર : વાસુકી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી શનિ અને રવિવારના રોજ વાંકાનેર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રક્તદાન થકી કોઈની મહામૂલી જિંદગી બચે એ ઉદ્દેશથી જનતાને રક્તદાન કરવા અનુરોધ સાથે આગામી તારીખ ૨૭/૧૦/૨૦૧૮ને શનિવારના રોજ વાસુકી દાદાના મંદિરે નવાપરા ખાતે સવારે ૯ થી ૪ દરમિયાન શ્રી વાસુકી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે.

- text

તેમજ તારીખ ૨૮/૧૦/૨૦૧૮ને રવિવારના રોજ સવારે ૯ થી ૩ સુધી જૈન ભોજન શાળા દિવાનપરા રોડ ખાતે વેલનાથપરા તથા દિવાનપરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

- text