મોરબીના બગથળા ગામે શનિવારે બાળ ઉછેર અંગેનો સેમિનાર

- text


 

ઉપસ્થિત રહેનાર સર્વેને ભેટ સ્વરૂપે પુસ્તક અપાશે : પ્રશ્નોના જવાબ આપનાર બહેનોને ઇનામથી સન્માનિત કરાશે

મોરબી : મોરબીના બગથળા ગામે આગામી શનિવારના રોજ બાળ ઇછેર અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા તરીકે ડો. સતીષ પટેલ દ્વારા બાળ ઉછેર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

બગથળા ગામે તા.૬ને શનિવારે, રાત્રે ૯ વાગ્યે, બાળ ઉછેર વિશેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન નકલંક જગ્યા બગથળા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં વક્તા ડો. સતીશ પટેલ માર્ગદર્શન આપશે. લાભાર્થી માતાઓને, બાળઉછેર બે હાથમાં નામનું પુસ્તક નકલંક જગ્યા બગથળા તરફથી પ્રસાદ રૂપે ભેટ આપવામાં આવશે.

- text

આ ઉપરાંત યોગ્યતા પ્રમાણે ઈલેક્ટ્રોનિક થરમોમીટરનું પણ વિતરણ કરવામાં આવશે. આ આયોજનમાં પધારવા બેહેનો,માતાઓ, પુરુષો, મહિલાઓ અને જ્ઞાન મેળવવા ઈચ્છા ધરાવતા સર્વને દામજી ભગત દ્વારા આમંત્રણ આપવામાં આવ્યુ છે. કાર્યક્રમને અંતે ઠંડુ શરબત પીરસવામાં આવશે. વક્તવ્ય દરમિયાન પૂછવા આવતા પ્રશ્નોના સાચા જવાબ આપનારને ઈનામ આપવામાં આવશે.

- text