મોરબી જિલ્લામાં વડાપ્રધાન મોદીના જન્મ દિવસે ૪૧ નિદાનકેમ્પ યોજાયા

- text


શતમ જીવમ શરદ અંતર્ગત ૩૫૫૪ દર્દીઓએ નિદાન કેમ્પનો લાભ લીધો

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની શતમ જીવમ શરદ પ્રોજેકટ અંતર્ગત ઉજવણી કરવા આરોગ્ય વિભાગ મોરબી જિલ્લા દ્વારા જુદા – જુદા ૪૧ નિદાન કેમ્પ યોજવામાં આવતા આ કેમ્પમાં કુલ ૩૪૫૪ દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો.

જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કાંતિરાના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે મોરબી સિવિલ હોસ્પિટલ, વાંકાનેર, ૬ સીએચસી સેન્ટર, ૨૮ પીએચચી સેન્ટર તથા ૫ અર્બન હેલ્થ સેન્ટરમાં કુલ મળી ૪૧ નિદાનકેમ્પ યોજવામાં આવ્યા હતા.

- text

આ નિદાનકેમ્પમાં ૩૪૫૪ પૈકી ૧૨૭૦ દર્દીઓને લેબોરેટરી ચેકઅપ, ૬ દર્દીઓના ઇસીજી અને ૪૯ દર્દીઓને સંદર્ભ સેવા અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

- text