મોરબી: મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : તાજેતરમાં શ્રી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ મોરબી દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં જ્ઞાતિના વિદ્યાર્થીઓ તથા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વાલી ગણને દીકરીઓને ખૂબ ભણાવવી તેમજ વ્યસન મુક્તિ ઉપર ભાર મૂક્યો હતો.

તેજસ્વી તારલાઓના આ સન્માન સમારોહમાં મોરબી એલ.સી.બી. ઈન્ચાર્જ પી.આઈ.આર.ટી.વ્યાસ તેમજ મોરબી વ્યાસ જ્ઞાતિના પ્રમુખ ડો. દિલીપજી પૈજા, સંજયભાઈ ધોળકિયા, મુકેશભાઈ કુકરવાડિયા સહિતના દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ, જામનગર, મહેસાણા સહિતના જિલ્લાઓના જ્ઞાતિ અગ્રણીઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.

- text

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાજેશ કે.પૈજા એ કર્યું હતું અને મહામંત્રી પ્રવિણચંદ્રએ આભારવિધિ કરી હતી આયોજન સફળ બનાવવા પ્રમુખશ્રી ડો. દિલીપજી પૈજા, મહામંત્રી પ્રવિણચંદ્ર પૈજા તથા કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text