મોરબીના સાર્થક વિદ્યામંદિરમા ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણની પ્રદર્શની યોજાઈ

- text


મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરમા આજે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણની પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ કૃતિઓ નિહાળી હતી.

મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં આજે ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણની પ્રદર્શની યોજવામાં આવી હતી. શાળા કક્ષાએ યોજાયેલ આ પ્રદર્શનીમાં ગણિત- વિજ્ઞાન અને પર્યાવરણને આધારિત ૧૫ કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શની શાળાના તમામ વિદ્યાર્થીઓ ,શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓએ નિહાળી હતી.

- text

- text