ચરાડવાના મહાકાળી આશ્રમ ખાતે ૯મીથી ધર્મોત્સવ : વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

- text


નવ દિવસ સુધી ચાલનારા આ ધર્મોત્સવમાં પ્રથમ વખત મહાકાલી દશ વિદ્યા યજ્ઞ યોજાશે

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ખાતે આવેલ મહાકાલી આશ્રમ (દેવળિયા રોડ)માં તા. ૦૯ થી ૧૭ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન નવ દિવસીય ધર્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મોત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોની વણઝાર થશે. પ્રથમ વખત મહાકાલી દશ વિદ્યા યજ્ઞ યોજાશે સાથે શ્રીમદ દેવી ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૦૯-૧૧ થી ૧૭-૧૧-૨૦૧૮ સુધી આયોજિત ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મહાકાલી દશ વિદ્યા યજ્ઞ તથા શ્રીમદ દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવ દિવસ દરમિયાન ભજન, ગરબાની રમઝટ જામશે તે ઉપરાંત સંત મહાત્માઓ બિરાજશે અને ધર્મોત્સવનો લાભ લઈને આશીર્વચન પાઠવશે.

- text

સંત દયાનંદગીરી મહારાજ તથા શિષ્ય અમાર્ગીરી મહારાજની આગેવાનીમાં ચરાડવા તેમજ ૧૦ થી ૧૫ ગામના ગ્રામજનો, આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે શ્રીમદ દેવી ભાગવત કથાના વ્યાસપીઠ પર રાજકોટના કથાકાર કનૈયાલાલ ભટ્ટ બિરાજીને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથાનો સમય દરરોજ સવારે ૯ થી બપોરે ૧૨ અને બપોરે ૩ થી સાંજના ૬ કલાક સુધીનો રહેશે

આ વિરાટ ધાર્મિક આધ્યાત્મિક આયોજનમાં શિષ્યો-ભક્તો અને શ્રેષ્ઠીઓ જોડાઈ રહ્યા છે ચરાડવા ગામ સહીત ૧૦ થી ૧૫ ગામના અગ્રણીઓ કામકાજનો કાર્યભાર સાંભળી રહ્યા છે આ પ્રસંગને ભવ્યાતીભવ્ય બનાવવા આયોજન-મીટીંગોનો ધમધમાટ શરુ થઇ ચુક્યો છે

- text