મોરબીના ગોર ખીજડિયામાં શેઢા તકરારમાં ખૂની હુમલો

- text


વાડીમાં નીંદેલુ ખડ અમારા શેઢામાં કેમ નાખ્યું કહી માથામાં સરિયો ફટકારતા પ્રૌઢને હેમરેજ

મોરબી : મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામે રહેતા સતવારા પ્રૌઢને નીંદેલુ ઘાસ ફેકવાની શેઢા તકરારમાં પડોશી વાડી માલિકે માથામાં સરિયો ફટકારી હેમરેજ કરી નાખતા પોલીસે ખૂની હુમલા મામલે ગુન્હો નોંધી હુમલાખોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગોર ખીજડિયા ગામે રહેતા અને વનાળિયા ગામની સીમમાં વાડી ધરાવતા
વીરજીભાઇ પોપટભાઇ કંઝારીયા ઉ.વ-૫૫ ને શેઢા પાડોશી શૈલેષભાઇ ઉર્ફે મુળજીભાઇ બચુભાઇ કંઝારીયા સતવારા રહે.ગોરખીજડીયા તા.જી મોરબીવાળાએ અમારા શેઢામાં કેમ નીંદેલુ ઘાસ કેમ ફેંક્યું કહી માથામાં લોખંડનો સરિયો ફટકારી દેતા વીરજીભાઇ પોપટભાઇ કંઝારીયાને હેમરેજ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વધુમા આ મામલે વિરજીભાઈના પુત્ર અનીલભાઈ વીરજીભાઈ કંઝારીયા જાતે . સતવારા ઉવ.૨૮ ધંધો. ખેતી તથા મજુરી કામ રહે. ગોરખીજડીયા સરપંચવાળી શેરીમાં તા.જી. મોરબી વાળાએ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text