ટંકારામાં પવિત્ર શ્રાવણ માસમાં નોનવેજની લારીઓ બંધ કરવાની માંગ

- text


બજંરગદળ અને અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિસદનું મામલતદાર તેમજ પોલીસને આવેદન

ટંકારા : ટંકારામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માસ મટન અને ઈંડાની લારી બંધ કરાવવા બજંરગદળ અને અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિસદ દ્વારા મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

હિન્દુ સમાજ ના પવિત્ર ગણાતા શ્રાવણ માસ દરમિયાન ટંકારા વિસ્તારમાં જીવ હિંસા અને માસ કે ઈંડા સેવન માટે રાખેલ લારી કે દુકાન બંધ કરાવવા તંત્ર ફરમાન બહાર પાડે એવી માંગ સાથે અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિસદ અને બજંરગદળ ના કાર્યકરો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- text

- text