- text
મોરબી : મોરબીના એસપી ડો. કરનરાજ વાઘેલાએ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લઈને તેઓને મોરબી જિલ્લા પોલીસ પરિવાર તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજ રોજ જન્મદિવસ છે. ત્યારે આજે અનેક અધીકારીઓ, પદાધિકારીઓ તેમજ અગ્રણીઓએ તેઓની શુભેચ્છા મુલાકાત લઈને અભિનંદન પાઠવા હતા. ત્યારે મોરબીના નવા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાએ પણ આજે મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ડો. કરનરાજ વાઘેલાએ મુખ્યમંત્રીને જન્મદિવસ નિમિતે મોરબી જિલ્લા પોલીસ પરિવાર તરફથી નિરામય જીવન જીવી હમેશા ગુજરાતના વિકાસને આગળ ધપાવતા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.
- text
- text