મોરબીમાં શનિવારે સુમધુર ગીત નિશા કાર્યક્રમ : નામાંકિત પ્રજ્ઞાચક્ષુઓ વ્હાવશે સુરાવલી

- text


સિમ્પોલો ગ્રૂપના સહયોગથી સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રનું આયોજન : કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન, ઓરકેસ્ટ્રા અને ગાયન પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા જ કરાશે

મોરબી : સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર દ્વારા સિમ્પોલો ગ્રૂપના સૌજન્યથી મોરબીના ટાઉનહોલ ખાતે આગામી તા. ૪ને શનિવારના રોજ સુમધુર ગીત નિશા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નામાંકિત પ્રજ્ઞાચક્ષુ કલાકારો પોતાના સુમધુર કંઠે સુરાવલી વ્હાવશે.

પ્રજ્ઞાચક્ષુઓના ઉત્થાન માટે કાર્યરત સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર દ્વારા સિમ્પોલો ગ્રૂપના સહયોગથી સુમધુર ગીત નિશા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે તા. ૪ને શનિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે ટાઉનહોલ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં નામાંકિત પ્રજ્ઞાચક્ષુ કલાકારો પોતાના સુમધુર કંઠે મહમફ રફીની પુણ્યતિથિ અને કિશોર કુમારના જન્મદિવસ નિમિતે તેઓના ગીતો રજૂ કરશે

- text

કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન, ઓરકેસ્ટ્રા અને ગાયન પ્રજ્ઞાચક્ષુઓ જ કરશે. પ્રજ્ઞાચક્ષુઓની કલાથી સૌ કોઈ પરચિત થાય તેમજ પ્રજ્ઞાચક્ષુઓને પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદ્વિતીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રમુખ વશરામભાઈ દેત્રોજા, ઉપપ્રમુખ કિશોરસિંહ જાડેજા, પ્રફુલાબેન સોની, મંત્રી હાતિમભાઈ રંગવાલા અને સહમંત્રી રમાબેન કોઠીયા અને અનિલભાઈ પટેલે નિમંત્રણ પાઠવ્યું છે.

- text