મોરબી એસટી વર્કશોપના નિવૃત થતા બે કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીના એસટી વર્કશોપમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.

મોરબી એસ.ટી.વર્કશોપ ખાતે ફરજ બજાવતાં ભગવાનજીભાઈ બી.અધારા અને શારદાબેન કે વાઘેલા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં મોરબી ડેપો મેનેજર એ.પી.કરમટા, એ.એન.પઢારીયા, હેડ મીકેનીક.ડી.એમ.જાડેજા, એ.ટી.આઈ સુભાષભાઈ ચાવડા તથા વર્કશોપ સ્ટાફ તેમજ ત્રણેય યુનિયનના આગેવાનો દ્વારા શુભેચ્છા સાથે વિદાય સમારોહ યોજવામાં આવેલ હતો.

- text

 

- text