- text
મોરબી : મોરબીની ક્રિષ્ના સ્ફુલમાં આજે ઓરી રૂબેલા રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પૂર્વે વાલીઓને ઓરી રુબેલા રસીની જાણકારી આપવા માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. બાદમાં આજે ૯૪૬ બાળકોને રસી આપવામાં આવી હતી.
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલી ક્રિષ્ના સ્કુલ ખાતે શાળાના પ્રમુખ ભરતભાઇ બોપલીયા, ટ્રસ્ટી, આચાર્ય તેમજ શિક્ષકગણની હાજરીમાં આરોગ્ય વિભાગના એમપીએચડબ્લ્યુના ડૉ. પારેજીયા શૈલેશભાઇ તથા તેમની ટીમ દ્વારા બાળકોને સુરક્ષીત અને અસરકારક રીતે રસી આપવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત સૌપ્રથમ તમામ વાલીઓને જાગૃત કરવા માટે તેમને સ્કુલે બોલાવીને રસીકરણ વીશે જાગૃતિ માટેનો સેમીનાર યોજવામાં આવેલ હતો. ત્યાર બાદ તમામ વાલીઓની સંમતીથી તથા બાળકોમાં ઉત્સાહના માહોલ પૂર્વક આ રસીકરણ અભિયાન ૯૪૬ બાળકોને રસી આપીને પુરૂ કરવામાં આવ્યુ હતું.
- text
- text