વાંકાનેરના ગારીયા ગામમાં પરણીતાંને ત્રાસ આપનાર પતિ – સાસુ વિરુદ્ધ ફરિયાદ

- text


મોરબી : વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા ક્ષત્રિય પરણીતાંને ત્રાસ આપનાર પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉષાબા ઉર્ફે ઉર્વશીબા શકિતસિંહ વાળા રહે. ગારીયા યજ્ઞ પુરુષ નગર તા. વાકાનેર, મૂળ રહે ગામ વઢવાણ વાઘેશ્વરી રોડ આદર્શ ચોક કોઠારીની ડેલી જી. સુરેન્દ્રનગર વાળાએ ઘરેલુ હિંસા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી પોતાના શકિતસિંહ ગોવુભા વાળા તથા સાસુ (૨) ક્રિષ્નાબા ઉર્ફે બાબાબા ગોવુભા વાળા રહે બન્ને ગારીયા યજ્ઞ પુરુષ નગર તા. વાકાનેર વિરુદ્ધ IPC કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) ૪૯૮ (ક) ,૧૧૪ મુજબ ગુન્હો નોંધાવ્યો છે.

- text

વધુમાં આરોપીઓએ ફરિયાદી ઉષાબાને લગ્નના બે વર્ષબાદ મેણાટોણા મારી શારીરિક માનસીક ત્રાસ આપી પતિએ શરીરે પેટના ભાગે ઢીંકાપાટુ લાત મારી મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક માનસીક દુખ ત્રાસ આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text