વાંકાનેરના નવ દંપતીને નડ્યો અકસ્માત : બન્નેના મોત

- text


વાંકાનેરથી રાજકોટ જતા હતા ત્યાં રસ્તામાં કાળ ભેટ્યો

મોરબી : વાકાનેરના જિનપરા વિસ્તારમાં રહેતું દંપતી કામ સબબ રાજકોટ જતું હતું ત્યારે અજણાય વાહન ચાલકે દંપતીના બાઇકને જીયાણા પાસે હડફેટે બન્નેના ઘટનાં સ્થળે મોત નિપજયા હતા જેથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી

પ્રાપ્ત થતી વિગત મુજબ વાકાનેર ના જિનપરા વિસ્તારમાં રહેતા સંજયભાઈ મિસ્ત્રી ના મોટા પુત્રના જીતેન્દ્ર લગ્ન અઢી માંસ પેહલા ધર્મિષ્ઠા સાથે થયા હતા. પતિ પત્ની આજે સવારે બાઈક પર રાજકોટ જીતેન્દ્રની સાળીનું ઓપરેશન આવતીકાલે હોવાથી ત્યાં જતા હતા. ત્યારે કૂવાડવા ના જીયાણા ગામ પાસે દંપતીના બાઈક ને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા બન્નેના ઘટના સ્થળે મોત નિપજયા હતા ઘટનાની જાણ થતાં કૂવાડવા પોલીસ દોડી આવી હતી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

- text

દંપતીના મૃતદેહો પી.એમ.બાદ વાંકાનેર તેમના ઘરે લઈ આવતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. બન્નેની એક સાથે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. પતિ પત્નીના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત મચ્યો હતો.

મૃતકના ફાઈલ ફોટો

- text