- text
મોરબી : મોરબીના આમરણ ગામે પરિણીતાને ૪ શખ્સોએ મળીને લાકડી વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ આમરણ, ઇન્દિરાનગર અને હાલ ટંકારામાં રહેતા વનીતાબેન રાઘવજીભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદમાં જણાવ્યું હતું કે આમરણના ઈન્દીરાનગર વિસ્તારમાં નજીવી બાબતે દિનેશ પુના પરમાર , પ્રકાશ સવજી, ભુદર અરજણ, અને હિતેશ ભુદરે તેઓને ઢીકા પાટુ અને લાકડી વડે મારમાર્યો હતો. મોરબી તાલુકા પોલીસે મહિલા ની ફરિયાદના આધારે ચારેય આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
- text
- text