મોરબીના રફાળેશ્વર નજીક સિરામિક ફેકટરીમાં માટીમાં દબાઈ જતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આવેલ સિરામિક ફેકટરીમાં માટીના ઢગલામાં દબાઈ જતા શ્રમિક યુવાનનું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર નજીક આવેલ વિટો સીરામીક ફેકટરીમાં કામ કરતા ઉદાભાઈ રામાભાઈ બારૈયા ઉ.૩૦ આજે કારખાનામાં કામ કરી રહ્યા હતા ત્યારે માટીના ઢગલામાં દબાઈ જતા કરું મોત નીપજ્યું હતું.

- text

ઉલ્લેખનિય છે કે સિરામિક ફેકટરીમાં ટ્રકમાંથી માટી ઠલવાઇ રહી હતી ત્યારે ટ્રક ચાલક અને કારખાનાના જવાબદાર લોકોની ઘોરબેદરકારીના પાપે શ્રમિક યુવાનને જીવ ગુમાવવો પડ્યો છે.

ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આ અકસ્માતે મૃત્યુ કેસની તપાસ હાથ ધરી છે.

- text