- text
ટંકારા: આજે પણ ગામડાઓમાં પ્રાચીન વારસો જાળવી રાખવામાં આવ્યો છે ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં ગ્રામજનો દ્વારા હજુ પણ દેશી ઢોલના તાલે ગરબા ગાવામાં આવે છે અને વર્ષોથી આઠમની રાત્રે ભગવાન મહાદેવના વિવાહ ગાવામાં આવે છે.
ટંકારા તાલુકાના હડમતિયામાં છેલ્લા ધણા વર્ષોથી ” નવદુર્ગા ગરબી મંડળ” તેમજ “શ્રી હડમતિયા ગરબી મંડળ” માં ભારતીય સંસ્કૃતીનો વારસો ટકી રહે અને આપણી ગુજરાતી પ્રાચીન પરંપરા જળવાય રહે તે માટે વર્ષોથી દેશી ઢોલના તાલે બાળાઓ-બહેનો સોળે શણગાર સજીને જગદંબાની ભકિતમાં લિન બનીને રાસોત્સ્વ-ગરબાનું ગાન થાય છે ગામની જ દિકરી “ચાંદનીબેન રાજપુત” ના કંઠે પ્રાચીન ગરબા ગવાય છે અને નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરે છે.
- text
અહીં પુરુષો પણ પ્રાચીન ગરબા લઈ આનંદ માણે છે. નવાઈની વાત તો અે છે કે નવરાત્રીના આઠમાં નોરતે દર વર્ષે ભગવાન શિવના ” મહાદેવ વિવાહ” ગવાઈ છે તે અેક જોવા જેવો લ્હાવો હોય છે. આ “મહાદેવ વિવાહ” ની શરુઆત ગામના જ લોકલાડિલા સ્વાધ્યાય પ્રેમી “સ્વ.કાનજી ભગત “નામના વ્યકિતઅે કરી હતી.આજ તેની કાયમ માટે કમી મહેસુસ થતી જોવા મળે છે.
દર વર્ષે બાળાઅોને બંને ગરબીમાં નાત-જાતના ભેદભાવ વિના દાતાઅોશ્રી દ્વારા લ્હાણી કરવામાં આવે છે અને પ્રસાદરૂપે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવે છે. આ તમામ આયોજન ગામના નવયુવાનો દ્વારા કરવામાં આવે છે.
- text