મોરબીમાં ABVPના કાર્યકર્તાનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

- text


મોરબીના શિશુ મંદિર સ્કૂલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કાર્યકર્તાનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં એ.બી.વી.પી.ની સૈદ્ધાંતિક ભૂમિકા, આદર્શશાખા આંદોલન, જ્ઞાન, ચારિત્રય એકતા, સહિતના ગુણોનું કાર્યકર્તાઓમાં સિંચન કરવામાં આવ્યું હતું. તેમજ એબીવીપીની મોરબી શાખાની ટીમની રચના કરાઈ હતી. જેમાં અધ્યક્ષ સંજયભાઈ વિરડીયા, ઉપાધ્યક્ષ ડો. ભાવેશભાઈ જેતપરીયા, મંત્રી અનંત જોબનપુત્રા, સહમંત્રી મનદીપ સિંહ ,સુનિલ રબારી, કેમ્પસ પ્રમુખ ધ્રુવિલ ભીમાણી, સહિતના હોદેદારોની નિમણુંક કરાઈ હતી.

- text