ટંકારાની દોશી સ્કુલમાં શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી

- text


55 વિદ્યાર્થીઓ શિક્ષકો બન્યા અને 2 હોનહાર વિધાર્થીઓ સેવકો બની જવાબદારીનું નિભાવી

ટંકારા : ટંકારાની વર્ષો જુની એમ.પી.દોશી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી. જેમા આરતી કે. મોદી વિધ્યાર્થીની આચાર્ય બની હતા.અને 55 છાત્રોએ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી તેમજ શાળાના બે હુનહાર વિધ્યાર્થીઓ પટાવાળા મુખ્ય સેવક બની જવાબદારી વિશે ભાન મેળવ્યુ હતું. ત્યારબાદ તમામને તેનો અનુભવ અને જ્ઞાનની આપલે માટે વાતાલાપ કર્યો હતો. આ શાળાના સેવક નિલેશભાઈ જૈનનુ આચાર્ય દવે સાહેબે વિશેષ સન્માનિત કર્યા હતા.તેમજ આ ઉજવણી માટે શાળાના તમામ શિક્ષકગણએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં વિધાથી અને શિક્ષકો એ સાથે પ્રીતિ ભોજન લઈ ઉજવણી કરી હતી.

- text