મોરબી નગરપાલિકાના કર્મચારીઓએ અચોક્ક્સ મુદતની હડતાલનું એલાન પાછું ખેંચ્યું

- text


સાતમા પગાર પંચ મુદ્દે સરકારે બે મહિનાનો સમય માંગ્યો

મોરબી : સાતમા પગાર પંચની માંગ સાથે લડત ચલાવી રહેલા મોરબી સહીત રાજ્યની 120 થી વધુ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આગામી 20 જુલાઈ થી અચોક્કસ મુદ્દત ની હડતાલ પર જવા નિર્ણય કર્યો હતો પરંતુ ભારે વરસાદના માહોલ અને સરકારે જુદી-જુદી માંગણી માટે બે મહિનાનો સમય માંગતા મોરબી સહિતની નાગરપાલિકાઓના કર્મચારીઓની હડતાલ મોકૂફ રાખવામાં આવી છે
અચોક્કસ મુદતની હડતાલ મોકૂફ રાખવાની જાહેરાત કરતા રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ એવા મોરબી નગરપાલિકાના નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પાલિકાના કર્મચારીઓને સાતમા પગાર પંચ મુદે નિર્ણય કરવા બે માસની મુદત માંગવામાં આવી છે અને વરસાદી માહોલ ના કારણે હડતાલ પર નહીં જાવા નિર્ણય કર્યો છે.
જોકે હડતાલ મોકૂફી પાછળ સરકાર દ્વારા નગરપાલિકાના કર્મચારીઓના અવાજ ને દબાવી દેવા અમલી બનાવેલ એસ્મા કાયદો કારણભૂત મનાઈ રહ્યો છે સરકારે નગરપાલિકાની પાણી,ગટર વ્યવસ્થાની સેવાઓ આવશ્યક સેવા હેઠળ લઇ આ સેવા ખોરવાય તો પાલિકાના સતાધીશોને અને કલેક્ટર.ડે.કલેક્ટર અને મામલતદારને પગલાં લેવા માટે ખાસ પાવર્સ આપતા બિનજામીન લાયક ગુન્હો નોંધવાની ભીતિના કારણે કર્મચારીઓ હડતાલ પર જવાનું મુનાસીબ ન માન્યું હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની કુલ 162 નગરપાલિકા પૈકી 120 થી વધુ પાલિકાના કર્મચારીઓ કાલથી હડતાલ પર જવાના હતા પરંતુ સરકાર ના એક જ પરીપત્રથી હડતાળ મોકૂફ રહી છે.

- text

- text