GSTના વિરોધમાં ચેમ્બર ઓફ કોમર્સે કાલે મોરબી બંધનું એલાન આપ્યું

- text


ચેમ્બરની મિટિંગમાં નિર્ણય લેવાયો

મોરબી : સરકાર દ્વારા 1લી જુલાઈથી GST લાગુ કરવા આવનાર છે. પરંતુ સમગ્ર દેશમાં GSTનો વિરોધ થઇ રહ્યો છે. જેમાં અમુક પ્રોડક્ટ પર વધુ કર અને GSTના અટપટા અને અસમંજસ ભરેલા નિયમોનો વેપારીઓ અને ઉદ્યોગકારો વિરોધ કરી રહ્યા છે. ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સની આજે મળેલી મિટિંગમાં તમામ નાના મોટા વેપારીઓએ સર્વાનુમતે GSTના વિરોધ કરવા આવતીકાલ તારીખ 30 જુનના રોજ મોરબી બંધનું એલાન આપવામાં આવ્યું છે.
GSTના વિરોધ બાબતે આજે મોરબી ચેમ્બર ઓફ કોમર્સની મિટિંગ મળી હતી જેમાં ચેમ્બરના આગેવાનો ધીરુભાઈ ભોજાણી, ચંદ્રકાન્તભાઈ આશર સહિતના અગ્રણીયો અને 30થી વધુ અલગ અલગ નાના મોટા વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં GSTની વેપાર ધંધા પર પાડનારી અસર અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કાર્ય બાદ મોરબીના વેપારીઓ દ્વારા GSTનો વિરોધ નોંધાવી આવતી કાલે GSTના વિરોધમાં મોરબી બંધનું એલાન આપ્યું હતું. આ અંગે ચેમ્બરના આગેવાન ધીરુભાઈ ભોજાણીએ જણાવ્યું હતું GSTના વિરોધમાં વેપાર ધંધા બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબી બંધના એલાનને મોરબીની જુદી જુદી 30 જેટલી વેપારી સંસ્થાઓ દ્વારા ટેકો આપી બંધમાં જોડાવાની જાહેરાત કરી છે.

- text