ત્રાજપર ગામમાં રવિવારે ઘરની બહાર ન નીકળવા રીક્ષા ફેરવીને ગ્રામજનોને અપીલ કરાઈ

- text


મોરબી : ગઈ કાલે રાત્રે 8 કલાકે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં 22 તારીખને રવિવારે દેશમાં જનતા કરફ્યુની અપીલ કરી હતી. જે સંદર્ભે મોરબીના ત્રાજપર પંચાયત દ્વારા ગામ સમસ્તમાં રિક્ષામાં માઇક લગાવીને તેમજ ઠેરઠેર ચોપનીયા ચોંટાડી ગ્રામજનોને 22 માર્ચને રવિવારે સવારે 7થી રાત્રે 9 વાગ્યા સુધી ઘરમાં જ રહેવા સૂચિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની રાષ્ટ્રજોગ સંદેશ બાદ લોકોએ સ્વયંભૂ કરફ્યુ રાખવાનું મન બનાવી લીધું છે અને મોટા શહેરો સહિત ગ્રામ્ય કક્ષાએ પણ એ સુચનને સકારાત્મક આવકાર મળી રહ્યો છે.

- text