મોરબીના તાલુકાઓમાં સિંચાઈ માટે પાણી આપવા અંગે રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય તથા કોંગ્રેસ અગ્રણી મનીષાબેન મનસુખભાઇ સરાવાડિયા દ્વારા મોરબી જિલ્લાના તાલુકાઓમાં સિંચાઈ માટે પાણી આપવા અંગે રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગના મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

- text

આ રજુઆતમાં અનુસાર આ વર્ષે અતિવૃષ્ટિના કારણે જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ હતો. હાલમાં જગતના તાત એવા ખેડૂતો ઉનાળુ પાકના વાવેતરમાં વ્યસ્ત થઇ જશે પણ ખેડૂતોને ચોમાસુ પાકની જેમ આ પાક નિષ્ફળ ન જાય તે માટે ખેડૂતોને કેનાલ વાટે પાણી પૂરું પાડવા માટે નક્કર આયોજન કરેલ છે કે કેમ? જો આ બાબતે સરકાર તરફથી કોઈ વિચારણા કરેલ ન હોય તો ખેડૂતો ખેતી માટે ખોટા ખર્ચ કરે નહિ. જે માટે ખેડૂતોની આંતરડી ઠરે તેવા આદેશો કરવા અરજી કરવામાં આવી છે.

- text