- text
કલેકટરે પ્રજાલક્ષી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી
મોરબી : મોરબી આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી ઉકરડાના ગંજ સહિતની પ્રાથમિક અસુવિધાઓના મુદે પાલિકા તંત્ર સામે લડત ચાલી રહી છે.તેમજ છતાં આ પ્રશ્નોની નિરાકરણ આવ્યું નથી.ત્યારે તાજેતરમાં મોરબી જિલ્લાના નવા કલેકટર તરીકે મુકાયેલા જે.બી.પટેલની શુભેચ્છા મુલાકાત લઈને મોરબી જિલ્લાની આપની ટીમે શહેરના વિવિધ પ્રાણ પ્રશ્નોની રજુઆત કરી હતી. મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા શહેરને ઉકરડા મુક્ત કરવાં માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.અનેક રજુઆત અને ઉપવાસ આંદોલન તથા નવતર રીતે વિરોધ પ્રદર્શન કરવા છતાં તંત્ર મચક આપતું નથી.તેથી શહેરમાં ઉકરડાના ગંજ,ગટર ઉભરાવવની સમસ્યા તેમજ રઝળતા ઢોરની સમસ્યાઓએ માજા મૂકી છે.ત્યારે મોરબી જિલ્લા કલેકટર તરીકે નિષ્ઠાવાન જે.બી.પટેલની તાજેતરમાં નિયુક્તિ કરવામાં આવી છે.તેથી મોરબીના પ્રાણ પ્રશ્નો ઉકેલવાની આશા જાગી છે.
- text
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટિમ દ્વારા મોરબી જિલ્લા કલેકટર તરીકે તાજેતરમાં નિયુક્તિ થયેલા જે.બી.પટેલની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.આપ દ્વારા કલેકટરને મોરબીના મુખ્ય પ્રાણ પ્રશ્ન ગટર, ઉકરડા, રોડ તેમજ રખડતા પશુઓ અંગે રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતને પગલે કલેકટરે પ્રજાહિત લક્ષી પ્રશ્નો તાત્કાલિક હલ કરવા પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી.
- text