મોરબી : વિધવા બહેનોને અનાજની કીટ અને મિઠાઈ, ફરસાણનું વિતરણ કરાયું

- text


ૐ ગ્રુપ તથા મોરબી રોટરી કલબ દ્વારા સરાહનીય સેવા પ્રવૃત્તિ

મોરબી : મોરબીમા સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા ૐ ગ્રુપ તથા મોરબી રોટરી કલબ દ્વારા ૧૮/૮ રવિવારે સાતમ આઠમના તહેવાર નિમિતે મોરબીના વિધવા બહેનોને જીવન જરૂરીયાત વસ્તુમા ૧૫૦ અનાજની કીટ સાથે મિઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કર્યું હતું. આ પ્રોજેક્ટના ચેરમેન ભરતભાઈ કાનાબર હતાં. તેમજ મોરબી રોટરી કલબના પ્રેસિડન્ટ, સેક્રેટરી તેમજ રોટેરીયન મિત્રો અને ૐ ગ્રુપના મિત્રો હાજર રહ્યા હતા.

 

- text