સ્ટેનફોર્ડ સીરામીકે ફેકટરી અને આજુબાજુના વિસ્તારમાં 250 વૃક્ષો વાવ્યા

- text


મોરબી : ચોમાસાની સિઝન વેગ પકડી રહી છે ત્યારે મોરબીમાં સ્વંયભુ વૃક્ષારોપણની કામગીરી પણ અવિરત ચાલી રહી છે. આ લોકહિત કાર્ય અંતર્ગત રંગપર સ્થિત એક સીરામીક યુનિટ દ્વારા આશરે 250 વૃક્ષોના રોપાનું વાવેતર કરાયું હતું.

- text

મોરબીના પીપળીરોડ, રંગપર નજીક આવેલી સ્ટેનફોર્ડ સીરામીક નામની ફેકટરીમાં સંચાલકો દ્વારા વિવિધ પ્રકારના આશરે 250 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ફેકટરી તેમજ આજુબાજુના વિસ્તારમાં વવાયેલા આ વૃક્ષોનું લાલન-પાલન અને જતન કરવા માટે સીરામીક યુનિટના સંચાલકોએ સંકલ્પ લીધો હતો. તેમજ નજીકના દિવસોમાં વધુ 250 જેટલા વૃક્ષો વાવવાનું આયોજન થઈ રહ્યું છે તેમ સ્ટેન્ડફોર્ડ સીરામીકના સંચાલકોએ જણાવ્યું હતું.

- text