મોરબીમાં NDRFની ટીમનું આગમન : કાલે આર્મીના 60 જવાનોની ટીમ આવશે

- text


 

મોરબી : મોરબીમાં વાવાઝોડાના પગલે બચાવ કામગીરી માટે NDRFની ટીમનું આગમન થઈ ગયું છે. આજે સાંજના અરસામાં NDRFની ટીમના 32 જવાનો મોરબી આવી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આવતીકાલે આર્મીના 60 જવાનોની ટીમ પણ આવી પહોંચવાની છે.

- text

વાવાઝોડું વાયુ ગુરુવારના રોજ વહેલી સવારે ગુજરાતમાં પ્રવેશવાનું છે. આ વાવાઝોડાની અસર સુરેન્દ્રનગર સિવાયના સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં થવાની છે. જેને લઈને તંત્ર દ્વારા સુરક્ષા અર્થે તમામ તૈયારીઓ કરવામા આવી રહી છે. જે સંદર્ભે મોરબી જિલ્લામા બચાવ કામગીરી માટે એક NDRFની ટીમ મુકવામાં આવી છે. આ NDRFની ટીમ આજે સાંજના અરસામાં મોરબી આવી પહોંચી છે. આ ટીમમાં 32 જેટલા જવાનો છે. જેમને પીપળીયા ચાર રસ્તા પાસે ઉતારો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ સાથે બચાવ કામગીરી અર્થે આર્મીની પણ મદદ લેવામાં આવી છે. જેથી આવતીકાલે બુધવારે આર્મીના 60 જવાનોની ટીમ મોરબી પહોંચવાની છે.

- text