- text
હળવદ : તાજેતર માં જમ્મુ કાશ્મીર ના પુલવામાં આંતકવાદી દ્વારા થયેલ હુમલામાં શહીદ થયેલ 42 જવાનો ને નાલંદા વિદ્યાલય ના વિદ્યાર્થીઓ મૌન રેલી કાઢી સમૂહમાં ૭૫થી વધુ વિદ્યાર્થીએ સમૂહમાં મુંડન કરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
હળવદની નાલંદા વિધાલયના વિધાર્થી દ્વારા શહીદ થયેલ 42 જવાનો ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શહીદ વીર જવાનોને શ્રધ્ધા પૂર્વક શ્રદ્ધાંજલી આપવા સૌપ્રથમવાર વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં ૭૫થી વધુ વિદ્યાર્થીઓએ મુંડન કરાવીને વીર શહીદો ને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આંખો માં નમી ચહેરા પર ગુસ્સો હાટમાં હિન્દુસ્તાની ધ્વજ અને મીણબત્તી મોઢા પર પાકિસ્તાન મુરદાબાદ ના સુત્રોચાર કરી વિદ્યાર્થીઓ દ્વારા મૌન રેલી નું રેલી નુંઆયોજન કરવામાં આવ્યુંહતુ, વિદ્યાર્થીઓ દ્વારા૭૫ થી વધુ વિદ્યાર્થીઓએ સમૂહમાં મુંડન કરાવી શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
- text
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી રાકેશભાઇ પટેલ કિરણભાઈ પટેલ જીતુભાઈ રાજપુત ભાવેશભાઈ ઠાકોરતથા નાલંદા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમ્યાન દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને ઉપર અશ્રુભર્યા દ્રશ્યો જોવા મળેલ તથા પાકિસ્તાન મુર્દાબાદ શહીદો અમર રહો ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા.
- text